તપોવન વિદ્યાલય મોરબી દ્વારા ધોરણ – 10 અને 12 નાં બોર્ડનાં વિદ્યાર્થી માટે આજ તારીખ – 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા તેમજ ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત બંને શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં હળવી શૈલીમાં કેવી રીતે જીવવું, જીવનમાં સંઘર્ષોનો આત્મવિશ્વાસથી કેમ સામનો કરવો, તેમજ અનુકરણ નહિ પણ અનુસરણ કરવું, ચિંતા વગર ચોક્કસ દિશામાં કાર્ય કરવું, ગોખણપટ્ટી નહીં પણ સમજણથી શિક્ષણ ગમતું કરવું, ફળની આશા રાખ્યા વગર કર્મને ધારણ કરવું સહિતના અનેક બાબતો પર વિશેષ કેળવણી યુક્ત વિચારોથી વિદ્યાર્થીઓને પથદર્શક કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા બદલ બંને મહેમાનોનું તપોવન વિદ્યાલયના સંચાલક અશોકભાઈ રંગપરીયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા તેમજ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ દીપ્તિબેન રંગપરીયા અને સમગ્ર સ્ટાફગણે આભાર વ્યક્ત કર્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...