હાલના સમયમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ છે છાશવારે વધતા ડીઝલના ભાવો દવા બિયારણ ના ભાવો મોંઘી થતી વિજળી આમ મોંઘવારીનો માર સહન કરતો ખેડૂત માંડ બે છેડા ભેગા કરી રહ્યો છે ત્યારે ફરી એકવાર રાસાયણીક ખાતર માં થયેલો ભાવ વધારો ખેડુતો ની કમ્મર ભાંગી નાંખશે તો આ ભાવ વધારો ખેડૂતોના હિતમાં પાછો ખેંચવાની માંગ સાથે ગ્રાહક સુરક્ષા મંડળે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે
ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્ર લખી રજૂઆત કરી છે કે તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતર જેમાં ડીએપી રૂ ૧૫૦, એન.પી.કે માં રૂ ૨૮૫ નો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ખેડૂતો પર બોજા સમાન છે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે હાલની સ્થિતિમાં જમીનમાં રાસાયણિક ખાતર નુ ઉત્પાદન ઘણું ઓછું આવે છે જેથી રાસાયણિક ખાતર ફરજીયાત છે જેથી ભાવ વધારાથી ખેડૂતોને આર્થિક નુકશાન ના થાય અને ખેડૂતોના હિતમાં ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...