મોરબીના દલવાડી સર્કલ પાસે સવારના સાત વાગ્યાની આસપાસ આંગળીયા લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી ખાનગી ટ્રાવેલ્સ માથી નાણાનું પાર્સલ ઉતારી પોતાની ગાડીમાં મૂકે તે પહેલાં જ કારમાં આવેલા ચાર બુકાનીધારી શખ્સો રૂપિયા 1.1950000 પાર્સલ લૂંટી પલાયન થઈ જતાં આ લુંટ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે જાણવા મળતી વધુ વિગતો મુજબ
મોરબીના દલવાડી સર્કલ પાસે આજે સવારે 7 વાગ્યાની આસપાસ થયેલી આંગડિયા લૂંટ પ્રકરણમાં એએસપી અતુલકુમાર બંસલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબીના આંગડિયા પેઢીના સંચાલક સંજય પટેલ આજે મનીષભાઈ સાથે તેમનું રાજકોટ તરફથી આવતી ખાનગી સોમાનથ ટ્રેવેલ્સની બસમાં પોતાનું નાણાં ભરેલું પાર્સલ લેવા ગયા હતા અને ખાનગી ટ્રાવેલ્સમાંથી તેઓ આગડિયા પેઢીનું નાણાં ભરેલું પાર્સલ પોતાની કારમાં મૂકીને જતા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક એક નબર પ્લેટ વગરની હ્યુન્ડાઇ વેન્યુ કારમાં ચાર લૂંટારુઓ ઘસી આવ્યા હતા અને સંજય પટેલ ઉપર ગિલોલ અને તલવાર વડે હુમલો કર્યો હતો. તેમજ તેમની પાસેથી નાણાં ભરેલા પાર્સલની લૂંટ ચલાવીને રાજકોટ તરફ ભાગી ગયા હતા.
આંગડિયા લૂંટની ઘટનામાં રૂ. 1,19,50,000 લૂટમાં મૂળ ટિકરના અને હાલ અવની ચોકડી નજીક રહેતા મનીષભાઈ પટેલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવને લૂંટારુઓએ કેવી રીતે અજામ આપ્યો અને લૂંટમાં જાણભેદુની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે. જો કે લૂંટ સમયે સંજય પટેલ સહિત બે માણસો હતા અને સામે ચાર લૂંટારુઓઆ આ બનાવને અંજામ આપ્યો હતો. એટલે ફરિયાદી સહિત બન્ને વ્યક્તિની પૂછપરછ બાદ આઈપીસી કલમ 394, 120 બી, 34 અને જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધી છે. હાલ આ લૂંટની ઘટનાને ડિટેકટ કરવા એલસીબી, એસઓજી, એ ડિવિઝન તેમજ ટેક્નિકલ સ્ટાફ સહિતની ટિમો સઘન તપાસ આદરી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...