મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી, જેમાં 35 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરમાં કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમમાં તેમજ શ્રી મા. બા. વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરિયાત વસ્તુઓની 135 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં સાબુ, બોડી લોશન, કપડાં ધોવાનો સાબુ અને પાઉડર, બામ, વિક્સ, મચ્છર અગરબત્તી ચપલ અને મોજા સાથે ફળો , અનાજ અને ખીચડી સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા. સાથે વડીલો અને બાળકો સાથે નાસ્તો અને ફટાકડા ફોડીને દિવસ પસાર કર્યો હતો.
વધુમાં નોંધવું રહ્યું કે AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી કાર્યક્રમ અત્યાર સુધી ગુજરાત ના 18 શહેરોમાં કરવામાં આવી ચુક્યો છે.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, તેમજ ડેમની સંગ્રશક્તિના 100% ડેમ ભરાયેલ હોય જેથી ડેમનો 01 દરવજો 02 ઈંચ ખોલવામાં આવેલ છે.
જેથી નીચવાસમાં આવતા ગામો જેમ કે મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા,...
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો,...
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ -૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉ.વ.૨૭) નામનો યુવક...