ગઇ કાલે તારીખ 09-08-22 ના રોજ પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરી ના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા દ્વારા પોતાની ગ્રાન્ટ માં થી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા અદ્યતન એમ્બ્યુલન્સ આપવા મા આવી હતી.લલિત ભાઈ એ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકો ને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને સર્વ ગ્રામજનોએ લલીત ભાઈ કગથરા તથા ડોક્ટર ડાયાભાઈ પીપળીયા ને સન્માનિત કરવા માં આવ્યા હતા અને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયા એ ધારાસભ્ય લલીતભાઇ કગથરાની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતી ભાઈ જે પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભા ભાઈ,અવચર ભાઈ, ભરત ભાઈ તળપદા, હેમુભા બાપુ, ગીરુભા જાડેજા, વસંત ભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજ ભાઈ વૈષ્ણવ,ઇલા બેન કગથરા, નયન ભાઈ અઘારા, કે ડી પડસુંબિયા, હિરેન ભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા/ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. અશ્વિન ભાઈ ગઢીયા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...