આ કાર્યક્રમમાં રાજકિય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ દ્વારા એન્યુલ ફંક્શનનું ધમાકેદાર આયોજન શનિવારના રોજ યોજાયું હતું જેમાં નાના નાના ભૂલકાઓએ એક થી એક ચડિયાતી કૃતિઓ રજુ કરી હતી. સાથે સાથે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સએ પણ અકલ્પનિય પર્ફોમન્સ આપી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ ટૂંક સમય માં લોન્ચ થઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો ધમાકેદાર વોક થ્રુ વિડિઓ જોઈ હાજર રહેલ તમામ પેરેન્ટ્સ તેમજ મહેમાનો અભિભુત થયા હતા અને સ્ટાર ઓફ ધ યર, અચીવર્ષ ઓફ ધ યર જેવા અનેક વિવિધ એવોર્ડ થી બાળકોને સન્માનિત કરાયા હતા
આ કાર્યક્રમમાં સૌથી અગત્યની ક્ષણ એ હતી કે આપણે બધા હંમેશા જોતા હોઈએ છીએ કે સ્કૂલ દ્વારા બાળકો ને સન્માનિત કરાઈ છે પણ આજે નવયુગના દરેક સ્ટાફ ને પેરેન્ટ્સ દ્વારા સરપ્રાઈઝ સન્માનિત કરાયા જે મોરબીમાં પ્રથમ ઘટના છે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ડૉ. દીપકભાઈ અઘારા મંગલમ હોસ્પિટલ, કિરીટભાઈ ફુલતારીયા તીર્થક ગ્રુપ, બાબુભાઇ દેત્રોજા લિઓલી ગ્રુપ, અમુભાઈ લિખિયા, હંસરાજભાઈ ગામી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ તેમજ વિશાળ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પારેચા, વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ જોશી, પિન્કી પારવાણી તેમજ તમામ શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અન અધ્યયન હતી પણ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય એ માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય...
કાયદાનો ઉલ્લંઘન થતો જણાય તો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ રૂબરૂ અથવા ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર ફરિયાદ કરવી
બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ની જોગવાઈઓ જે ૧૪...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે, મૂલ્ય શિક્ષણ માટે જાણીતી છે, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવે છે જેથી એમનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
આવું જ પ્રેરણા...