મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા તા. 08-01-23 ને રવિવારના રોજ કે.જી તથા ધોરણ-1 થી 9 અને 11 ના વાલીઓની મિટિંગ સેમિનાર યોજાઇ ગયો. બે સેશનમાં યોજાયેલ આ વાલીઓની મિટિંગમાં આશરે 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહયાં હતા. સાંપ્રત સમયના શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઇ રીતે ઉજજવળ બનાવી શકાય તેની અવનવી વાતો વકતાઓ ડો.દીપકભાઇ રાજયગુરૂ અને મોટીવેશન સ્પીકર પ્રતિકભાઇ કાછડીયા દ્વારા પોતાના વકતવ્યમાં આજના શિક્ષણની વાતો કરી સહિયારા પ્રયાસથી સંતાનોના ભવિષ્યને શિક્ષણ દ્વારા કઇ રીતે ઉચ્ચશીખરો સુધી પહોંચાડી શકાય તે વાત અનેરી રીતે રજૂ કરી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી.કાંજીયા અને બળદેવભાઇ સરસાવાડિયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.
સેમિનારના અંતે અલ્પહારનું પણ આયોજન હતું. આ સમગ્ર વાલી મિટિંગ સેમિનારને નવયુગ સુપ્રિમો પી.ડી. કાંજીયાના માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના તમામ સ્ટાફે સફળ બનાવ્યો હતો.
ગણેશ ચતુર્થી ઉજવણી તહેવાર દરમિયાન કોઈ વીજ અકસ્માત ન બને તે માટે વિવિધ તકેદારી રાખવા નાગરિકોને સાવચેત કરવા મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ હળવા તથા ભારે દબાણની વીજલાઈનો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. શ્રી ગણેશ મૂર્તિના આવકાર અને વિસર્જન દરમિયાન, વીજ લાઈનની નીચેથી ખુબ જ વધુ ઊંચાઈ...
ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાનાઓનો ફોન આવેલ કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (ઉ.વ.૦૬) તથા સવીતા (ઉ.વ.-૦૭) વાળી બંને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા...
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ...