જયપુર(રાજસ્થાન) માં તા.27 માર્ચ ના RAC CLUB માં દિવ્યાંગ જનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભા શાળી દિવ્યાંગો માટે એવોર્ડ નો કાર્યક્રમ હતો. મોરબી થી મનોદિવ્યાંગ “જય ઓરિયા” ઉપસ્થિત રહેલ જે બદલ તેમનું સન્માન થયેલ , રાષ્ટ્રીય કાર્યકારી ણી સમિતિ માં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગ જનો ને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબી ના મનો દિવ્યાંગ ને સ્થાન આપવામાં આવ્યું છે.
જય ઓરિયા ને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવાર ને ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે.
મોરબી માં જન્મેલ જય ઓરિયા ને જન્મ સમયે 90%Down Syndrome (મંદબુદ્ધિ) સ્થિતી હતી પરંતુ માનવતાવાદી ડોકટરો ની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમ થી સમયસર નું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિક શક્તિ ઓ વડે સાચી કેળવણી થવા પામેલ છે.
દિવ્યાંગ બાળક ને પણ શરૂઆત નાં તબક્કા થીજ એક્ટિવિટી કરાવવામાં આવે તો અનુભવોથી ઘણું બધું શીખે છે.પરિવાર નો સકારાત્મક અભિગમ હોય અને સાચી સમજ કેળવી બાળક ની ક્ષમતા મુજબ મથામણ કરાવવામાં આવે તો દરેક બાળક ભગવાન નું સર્જન છે.તેમાં કોઈ ખામી હોઈ શકે નહીં
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...