ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા લાઉડ સ્પીકરથી ચોર-ચોરની બૂમો પડતા લુંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરી મંદિરની દાનપેટી લઈ અંધારામાં ઓગળી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના એકાદ વાગ્યે પાંચથી છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ મંદિરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ કે આભૂષણો હાથ ન લાગતા તસ્કરોએ કોશ વડે દરવાજો તોડવાનું શરૂ કરતા મંદિરના પૂજારી કિશોર મહારાજ જાગી ગયા હતા.
બીજી તરફ લૂંટારુઓને પામી ગયેલા કિશોર મહારાજે લાઉડ સ્પીકરમાં ચોર ચોરની બૂમો પાડવાનું શરૂ કરતા તસ્કર કમ લૂંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરતા ગ્રામજનોએ તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યા દશેક ટાકા આવ્યા નુ જાણવા મળ્યું છે. દરમિયાન પૂજારી ઉપર હુમલો કર્યા બાદ લૂંટારૂઓ મંદિરની દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.બનાવને પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી છે અને પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તાલુકામા સારી એવી લોકચાહના ધરાવતા કિશોર મહારાજના ખબર અંતર પૂછવા ભક્તો પણ ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...