પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રી નાનીવાવડી કુમાર પ્રા. શાળાના 19 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના 20 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું હતું.
પ્રાથમિક શાળાના બાળકો નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરતા થાય તે હેતુથી ધોરણ 6 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ -2022/23 માં લેવાયેલ P. S. E. (Primary Scholarship Exam) માં શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના કુલ 20 માંથી 19 બાળકો ઉત્તીર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું હતું.
શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ધોરણ -6 ના પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ કુંઢીયા રાહુલ રાજેશભાઈ, ઉભડીયા સુરેશ ધનજીભાઈ, રામાનુજ શ્યામ મહાવીરભાઈ, ઉભડીયા પ્રદીપ નિલેશભાઈ, વ્હોરા જીત સંજયભાઈ, ભટાસણા હેત જીતેન્દ્રભાઈ, નાગલા મિત લાલજીભાઈ, ગોહેલ ક્રિપાલ રાજેશભાઈ, નિમાવત જેનીસ સંદીપભાઈ, રામાનુજ કાર્તિક ગૌતમભાઈ, વ્યાસ પ્રિન્સ રમેશભાઈ, ઓગાણજા જીત જગદીશભાઈ, પડસુંબીયા જૈનિલ અમિતભાઈ, રૂપાલા નીરજ બળદેવભાઈ, કાંજીયા શુભમ નિતેશભાઈ, કલોલા માનવ જયેશભાઈ, ગોંડલીયા જય નિલેશભાઈ, આદ્રોજા હેત ભાવેશભાઈ, વાઘેલા ઉમંગ ચતુરભાઈ તમામ બાળકોને શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.