બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું પાણી લેવું પડે છે. આ બાબત ગ્રુપના ધ્યાને આવતા દાતાઓના સહયોગથી હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ આખા દિવસ માં ઠંડા પાણીના 50 જગ મુકવામાં આવશે. જળ એ જીવન છે. આવા બળબળતા બપોરે પાણી એ સૌની જરૂરિયાત છે. તરસ્યાને પાણી પાવું એ આપણી નૈતિક ફરજ છે તેથી જ તો પૌરાણિક કાળમાં રાજા-મહારાજાઓ ગામડે ગામડે પાણીની પરબો બંધાવતા. તરસ્યાને પાણી પાવું ઉત્તમ માનવ સેવા છે. ગ્રુપના સભ્યો દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
દાતાઓ :-
1. સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર હિટાચી ATM
2. સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાય
3. શ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી.
નીચે મુજબ ની જગ્યાએ પાણીના જગ મુકવામાં આવશે.
1. બસ સ્ટેશન હળવદ સંચાલક રાજુભાઈ દવે
2. આંબેડકર સર્કલ ટીકર રોડ સંચાલક શ્રી મુન્નાભાઈ પાનવાળા
3. બ્રાહ્મણને ભોજન શાળા પાસે સંચાલક શ્રી કિશન દાબેલી
4. ધાંગધ્રા દરવાજા પાસે સંચાલક શ્રી જયસ્વાલ કોલ્ડ્રિંક્સ
5. સરા ચોકડી સંચાલક શ્રી કમલેશભાઈ ટ્રાફિક પોલીસ.
નોંધ :- લોકોએ ઠંડા પાણીનો બગાડ કરવો નહીં. પીવા માટે પાણી છે હાથ મોઢું ધોવું નહીં. જગ નો નળ વ્યવસ્થિત બંધ કરવો જેથી પાણી ટપકે નહીં.
લોકો ના સાથ અને સહકારની અપેક્ષા
રવી પરીખ હળવદ
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...