વોર્ડ નં. સાત ના સદસ્યએ આપેલું ચીફ ઓફિસર ને આવેદનપત્ર સાત દિવસ માં નિરાકરણ નહી તો આંદોલન ની ચીમકી આપી
પચાસ હઝાર ની વસ્તી ધરાવતા હળવદ શહેર ની પાલિકા ભાજપ શાસિત છે વિકાસ ની લાખો રૂપિયા ની ગ્રાન્ટ આવવા છતાં શહેર ના વિવિધ વિસ્તારો આજે રામ ભરોસે છે ત્યારે વોર્ડ સાત માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધાઓ નો અભાવે આજ વિસ્તાર ના ચૂંટાયેલા સદસ્યએ પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી આ વિસ્તાર ના પ્રશ્ન નું સત્વરે નિરાકરણ લાવવા રજુઆત કરી છે અન્યથા સાત દિવસ માં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હળવદ પાલિકા માં પાછલા ચાર મહિના થી નવા બદલી થઈ આવેલા ચીફ ઓફિસર શહેર ની વિવિધ સમસ્યાઓ ઉકેલવા સાવ નિષ્ફળ ગયા હોય તેમ અવાર નવાર વિવિધ વોર્ડ ના લોકો જુદી જુદી સમસ્યાઓ લઈ ને આવે છે તેમ છતાં પણ સમસ્યાઓ નું કોઈ નિરાકરણ થતું નથી આવા ટાણે શહેર ના વોર્ડ સાત ના ચૂંટાયેલા સદસ્ય દેવાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તાર માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધા નો અભાવ હોવાનું જણાવ્યું છે ઉપરાંત આ વિસ્તાર માં પાછલા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટો પણ બંધ પડી છે ઠેર ઠેર ગંદકી ના થર જમ્યા છે ત્યારે આ વિસ્તાર ના ચાર હઝાર રહીશો નું આરોગ્ય જોખમાય છે માટે સત્વરે આ વિસ્તારમાં ની સમસ્યા નું નિરાકરણ સત્વરે લાવવા અંત માં જણાવ્યું હતું જો દિવસ સાત ના આ વિસ્તાર ની તમામ સમસ્યાઓ નું નિરાકરણ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
રવી પરીખ હળવદ
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...