વોર્ડ નં. સાત ના સદસ્યએ આપેલું ચીફ ઓફિસર ને આવેદનપત્ર સાત દિવસ માં નિરાકરણ નહી તો આંદોલન ની ચીમકી આપી
પચાસ હઝાર ની વસ્તી ધરાવતા હળવદ શહેર ની પાલિકા ભાજપ શાસિત છે વિકાસ ની લાખો રૂપિયા ની ગ્રાન્ટ આવવા છતાં શહેર ના વિવિધ વિસ્તારો આજે રામ ભરોસે છે ત્યારે વોર્ડ સાત માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધાઓ નો અભાવે આજ વિસ્તાર ના ચૂંટાયેલા સદસ્યએ પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી આ વિસ્તાર ના પ્રશ્ન નું સત્વરે નિરાકરણ લાવવા રજુઆત કરી છે અન્યથા સાત દિવસ માં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હળવદ પાલિકા માં પાછલા ચાર મહિના થી નવા બદલી થઈ આવેલા ચીફ ઓફિસર શહેર ની વિવિધ સમસ્યાઓ ઉકેલવા સાવ નિષ્ફળ ગયા હોય તેમ અવાર નવાર વિવિધ વોર્ડ ના લોકો જુદી જુદી સમસ્યાઓ લઈ ને આવે છે તેમ છતાં પણ સમસ્યાઓ નું કોઈ નિરાકરણ થતું નથી આવા ટાણે શહેર ના વોર્ડ સાત ના ચૂંટાયેલા સદસ્ય દેવાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તાર માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધા નો અભાવ હોવાનું જણાવ્યું છે ઉપરાંત આ વિસ્તાર માં પાછલા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટો પણ બંધ પડી છે ઠેર ઠેર ગંદકી ના થર જમ્યા છે ત્યારે આ વિસ્તાર ના ચાર હઝાર રહીશો નું આરોગ્ય જોખમાય છે માટે સત્વરે આ વિસ્તારમાં ની સમસ્યા નું નિરાકરણ સત્વરે લાવવા અંત માં જણાવ્યું હતું જો દિવસ સાત ના આ વિસ્તાર ની તમામ સમસ્યાઓ નું નિરાકરણ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
રવી પરીખ હળવદ
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...