માળિયા (મી): માળિયા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બગસરા ગ્રામ પંચાયતે રજુઆતમાં જણાવાયું છે કે, માળિયા (મી.) તાલુકાના ગામ ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો 19/07/2017 ના રોજ આ ભાવપર-બગસરા ગામનો રોડ નવો બનેલ હતો પરંતુ હાલે આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ કેમ કે આ રસ્તો બનાવેલ ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરેલ છે અને આ રોડનો ગેરંટી પીરીયડ 19/07/2022 ના રોજ પુર્ણ થતો હોવાથી હાલ આ રોડની મુલાકાત લેવા અને કોન્ટ્રાકટરને આ રોડના રીપેરીંગ તથા પેચ વર્કની કામગીરી તાત્કાલીકના ધોરણે કરવા હુકમ કરવા ગ્રામ પંચાયતની માંગ અને રજુઆત છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...