માળીયા તાલુકાના રાસંગપર ગામ ખાતે સમસ્ત આદ્રોજા પરિવાર સ્નેહમિલન સમિતિ દ્વારા તા.૧૫/૫/૨૦૨૨ ને રવિવાર ના રોજ નવચંડી યજ્ઞનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું હોમ હવન અને બીડું હોમ્યા બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આદ્રોજા પરિવાર નો સ્નેહમિલન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો
કોરોના મહામારી નાં બે વર્ષ બાદ સમસ્ત આદ્રોજા પરિવાર નો સમુહમાં પ્રસંગ હોય બહોળી સંખ્યામાં પરિવાર નાં સભ્યો હોંશ ભેર ઉપસ્થિત રહ્યા હતા
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...