માળીયા (મી): સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આગળ રહેતું દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર શંક્રાંતની ઉજવણી રંગે ચંગે કરાઈ હતી. જેમાં માળિયા (મી.) તાલુકાના, હરીપર ગામની શાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને આ પર્વની ઉજવણી માટે આમંત્રિત કરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાવી મજા માણી હતી તેમજ ચીક્કી અને મમરાના લાડવાનો આનંદ લીધો હતો.
તદઉપરાંત આ પર્વની મજા વધારા વિદ્યાર્થીઓ માટે રમત ગમત સહિત ઘણી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત તથા ગ્રુપ રમતો રમાડવામાં આવી હતી, અને તેમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા. આ પર્વની ઉજવણી બદલ હરીપર શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા દેવ સોલ્ટનો અભાર વ્યક્ત કરાયો હતો.
આ કાર્યક્રમને સફળ બનવા માટે કંપનીના સિનિયર અધિકારી વિવેક ધ્રુણા એ જેહમત ઉઠાવી હતી, જેમાં કંપનીના અધિકારી ભુપતસિંહ જાડેજા, અબેદીન જેડા, રમજાન જેડા, જલાભાઇ ડાંગર અને સામંત સવસેટા હાજર રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...