માળીયા (મી): મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને મજુરી કરતા આલીમભાઈ રાસીદભાઈ અંસારી (ઉ.વ.૨૪) વર્ષામેડી ગામની સીમમા આવેલ મહારાજા સોલ્ટ વર્કસ પ્રા.લી. નામના મીઠાના અગર (કારખાના) મા ઇલેકટ્રીકનુ કામ કરતી વખતે અક્સ્માતે ઇલેકટ્રીક શોક લાગતા મોરબી સીવીલ હોસ્પીટલમા સારવારમા લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
