માળીયા તાલુકાના સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે છકડો રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં બેઠેલા છ મુસાફરોને ઈજા પહોંચી હતી જયારે એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવમાં છકડો રિક્ષાને ઠોકર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
માળીયા મીંયાણા જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે એક છકડો રીક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકર મારી હતી અને અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં છકડો રિક્ષામાં સવાર રહીમ ઈબ્રાહિમભાઈ (ઉ.વ.26), શહેનાજબેન ઈબ્રાહિમભાઈ (ઉ.વ.18), શબીરભાઈ જાફરભાઈ (ઉ.વ.30), શાદીક બાવશોભાઈ (ઉ.વ.25), હરજીભાઈ દેશાભાઈ (ઉ.વ.40) અને અકબરભાઈ હનીફભાઈ (ઉ.વ.32) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે ઉમરશા પલીનશા નામના 70 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું.
આ બનાવની જાણ થતા પોલીસ ટીમ અને મોરબી 108 ની સીવીલ હોસ્પિટલ લોકેશનના પાઈલોટ સતીશભાઈ દવે, ઈએમટી અજયભાઈ બારિયા, માર્કેટિંગ યાર્ડ લોકેશનના પાઈલોટ રાહુલ નિનામાં, ઈએમટી ઈકબાલ ચુડેસરા, લાલબાગ લોકેશનના પાઈલોટ અલ્પેશભાઈ રામ અને ઈએમટી મનીષ આહીર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...