મોરબી નજીક આવેલ રવાપરા ગ્રામપંચાયત એટલે વિવાદનું મોટું ઘર આ પંચાયત માં સરપંચ બનવું એટલે ધારાસભ્ય બરાબર કારણકે આ જિલ્લામાં એકજ આ પંચાયત છે જ્યાં મોટા ભ્રસ્ટાચાર થાય છે અવાર નવાર જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા છતાં રાજકારણીઓ કોઈને જવાબ દેવામાં સમજતા નથી કારણ કે આ ભ્રસ્ટાચારમાં સભ્યો થી લઈને કલેકટર સુધી હપ્તા પોહચી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મોરબી શહેરમાં હરણફાળ વિકાસ થઇ રહ્યો છે આસપાસ રાજ્યના લોકો અહીં રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે ત્યારે બાંધકામ પણ દિન પ્રતીદીન વધી રહ્યા છે 2001માં ભૂકંપ આવ્યા બાદ સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયેલ હતો જેમાં ગ્રામપંચાયતને 3 માળથી વધુની મંજૂરી આપવી નહિ તેમ છતાં રવાપર ગ્રામપંચાયત દ્વારા 10 માળ સુધીની મંજૂરી એ પણ કોઈપણ સુવિધા વગર અપાઈ રહી છે જેમાં મસમોટા રૂપિયા બિલ્ડર તરફથી પંચાયત ને આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ નાણાકીય વહીવટને લઈને સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો આંતરિક રીતે ભાગબટાઇમાં નારાજ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ગ્રામપંચાયતના ઉપસરપંચ એ રાજીનામુ આપતા પંચાયતમાં હોબાળો મચી ગયો છે કારણકે મહિલા ઉપસરપંચ દ્વારા ઘરકામ અને સામાજિક કાર્યના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળેલ છે જે બાબતે સરપંચ નીતિન ભટાસણા ને કોલ કરતા તેને કોલ માં જવાબ દેવાનું યોગ્ય સમજ્યું નહિ અને કોલ રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું તેમજ મંજૂરી આપવામાં આવી છે કે નહિ તેવું બે દિવસ પહેલા પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ જવાબ સંતોષકારક ન આપી શક્યા હતા. હાલતો રવાપર ગ્રામપંચાયત ના મહિલા ઉપસરપંચ ના રાજીનામાં પાછળ ભાગબટાઈ ની ચર્ચા એ જોર પકડ્યું છે. જો આ ચર્ચા ખોટી હોય તો જિલ્લા કલેકટરે યોગ્ય તપાસ કરીને બાંધકામની મંજૂરી અટકાવી જોઈએ અને ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવા બદલ તમામ જવાબદારને કાયદાનું ભાન કરાવું જોઈએ
મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨...
મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.૧૪) રહે.રંગપર ગામની સીમ, વાઇડએન્ગલ સેનેટરી વેર વાળાને વાઇડએન્ગલ સેનેટરી વેરમા શોક લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરનાતબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ...
હળવદમાં રહેતા યુવકને પંદર વર્ષ પહેલાં મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુંબીક ભાઈઓ સાથે ઝગડો તકરાર થયેલ જેનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ આંબેડકરનગર -૦૧મા રહેતા ઉમેશભાઈ બચુભાઈ...