સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં ધુમધામ થી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીને લઇ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે
મહેન્દ્રનગર જુના ગામનાં ઝાપે સવારે ૦૦:૮ કલાકે હનુમાનજીનાં મંદિરે થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શોભાયાત્રા સોસાયટીમાં પ્રવેશ કરશે બાદ મા બપોરના ૧૨ કલાકે જુના ગામનાં ચોક માં શ્રીરામ મંદિરે ખાતે પોંહચી મહાઆરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા નું સમાપન કરવામાં આવશે આ શોભાયાત્રામાં અંદાજે ૩૦ થી વધુ બુલેટ મોટરસાયકલ તેમજ ગાડી અને અન્ય વાહનો સાથે ગામ લોકો જોડાશે તો ગામનાં યુવાનો કેસરી ઝબ્બા અને કેસરી સાફા માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાશે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...