Wednesday, June 18, 2025

મોરબીનાં રાજપર ગામના વતનીની જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારામાં પારકી જમીન પર કબજો જમાવી બે દુકાનો બનાવી જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સોએ વિરુદ્ધ વૃદ્ધાએ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયા (ઉ.વ.૫૨) એ આરોપી આમદભાઇ નુરાભાઈ માકડીયા રહે. ટંકારા, હનિફભાઈ નુરાભાઈ માકડીયા રહે. ટંકારા તથા અલીભાઈ આમદભાઇ બાદી રહે. ખીજડીયા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૬ ના તા. ૦૭-૦૩-૨૦૧૬ થી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની ટંકારા ખાતે સર્વે નં -૭૩૫ ની જમીન હે.૦-૭૬-૮૯ ચો.મી. વાળી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો બનાવી જમીન પચાવી પાડી હતી. આ બનાવ અંગે દિપકભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩,૪,(૩), ૫(ગ) તથા આઇપીસી કલમ -૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર