મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવશે; હેઠવાસના ગામોને એલર્ટ કરાયા 

મોરબી: મોરબીના આમરણ અને ધુળકોટ ડેમ ભરવાના હોવાથી મોરબી તાલુકાના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમનો દરવાજો એક બપોરે ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે જેથી સેકસન ઓફિસર ડેમી-૩ સિંચાઇ યોજના, મોરબી તરફથી જણાવવામાં આવે છે કે ડેમી-૩ ના હેઠવાસમા આવતા ગામો જેવા કે મોરબી તાલુકાના કોયલી, ધુળકોટ, આમરણ, બેલા, જિંજુડા, સામપર તથા જોડીયા તાલુકાનુ માવનુ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે. જળાશયની ભરપૂર સપાટી ૨૫.૬૦ છે.

ડેમી-૩ ડેમનુ જળાશયનું હાલનું લેવલ ૨૪.૧૦ મીટર છે. તેમજ જળાશયનો ગ્રોસ જથ્થો ૧૭૯.૦૫ મીટર ઘનફુટ છે. તથા ડેમી -૩ ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવશે અને દરવાજામાંથી પસાર થતો પ્રવાહ ૬૬૬.૭૯ ક્યુસેક હશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img