મોરબી: મોરબી તાલુકાના ખાનપાર ગામની સીમમાં વાડીએ ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રામજીભાઇ સવજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) એ ગત તા.૧૨-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર પોતાની વાડીના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
