મોરબી: મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અંજારથી મોરબી મંડપ સર્વિસના કામ અર્થ વાવડી ગામે આવેલા અને મંડપ સર્વિસનું કામ પુરૂ કરી વાવડી ગામથી પરત અંજાર તરફ જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી જતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઈશ્વર બુધા નાયક ઉ.વ.૧૯, અંધિન રંગીન બારીયા, કાળું નાયક ઉ.વ.૨૦, રાજેશ છત્રક બારીયા ઉ.વ.૨૪, રમેશ ડામોર ઉ.વ.૩૦, વિક્રમ રંગીત બારીયા ઉ.વ.૨૭, દિલીપ ડામોર ઉ.વ.૩૦ સહિત અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ હાલ મળતી માહિતી મુજબ ત્રણ લોકોને વધું સારવાર અર્થે મોરબી પ્રાઈવેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...