મોરબી: મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અંજારથી મોરબી મંડપ સર્વિસના કામ અર્થ વાવડી ગામે આવેલા અને મંડપ સર્વિસનું કામ પુરૂ કરી વાવડી ગામથી પરત અંજાર તરફ જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી જતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઈશ્વર બુધા નાયક ઉ.વ.૧૯, અંધિન રંગીન બારીયા, કાળું નાયક ઉ.વ.૨૦, રાજેશ છત્રક બારીયા ઉ.વ.૨૪, રમેશ ડામોર ઉ.વ.૩૦, વિક્રમ રંગીત બારીયા ઉ.વ.૨૭, દિલીપ ડામોર ઉ.વ.૩૦ સહિત અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ હાલ મળતી માહિતી મુજબ ત્રણ લોકોને વધું સારવાર અર્થે મોરબી પ્રાઈવેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...