મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ યુવકની હત્યા કેસમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગત તા ૨૫ એપ્રિલને મંગળવારના રોજ પ્રેમ પ્રકરણમાં થયેલ યુવકની હત્યા કેસમાં યુવકની માતાએ ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શાહનીવાસ ચોક દરબારગઢ જાની શેરીમાં રહેતા ચંન્દ્રીકાબેન જગદીશભાઇ ભટ્ટ (ઉ.વ.૭૦) એ આરોપી મહિપતસિંહ વાઘેલા રહે. મોરબી, રણજીતસિંહ વાઘેલા રહે મોરબી તથા એક અજાણ્યો માણસ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમર વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ફરીયાદીના દિકરા હિરેનને આરોપી સાથે પ્રેમ પ્રકરણ બાબતે જગડો થતા આ કામના ભોગબનનાર હિરેન ભટ્ટ તથા સાહેદ હિરેન સોલંકી એમ બંન્ને ઉપરોકત બનાવ વાળી જગ્યાએ બેઠા હતા ત્યારે રણજીતસિંહ વાઘેલાના કહેવાથી કાવતરૂ રચી મહિપતસિંહ વાઘેલા તથા એક અજાણ્યા માણસો જે આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના આવી જેમાં એક માણસે ભોગબનારને બોલાવી શેરીમાં લઇ જતા અને બીજા માણસે તેની પાસે રહેલ છરી વડે જીવલેણ હુમલો કરી બીજાએ પકડી રાખી ભોગબનનાર હિરેન ભટ્ટને છાતીના જમણા ભાગે તથા ડાબા પડખામાં છરી વડે જીવલેણ ઇજા કરી ભોગબનનારને ૧૦૮માં સરકારી હોસ્પીલમાં સારવારમાં લઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ -૩૦૨, ૧૨૦(બી), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
