મોરબી: મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગોપાલભાઇ દેસાભાઇ ચાવડા ઉ.વ.૪૦ રહે. બેલા (આમરણ) ગામ તા.જી.મોરબી વાળાએ ગત તા. ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
