મોરબી: મોરબીના બોધનગરમા યુવકનુ ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ હેમરાજભાઇ દીલીપભાઇ પરમાર (ઉ.વ.૩૪) રહે. બોધનગર નજરબાગ સામે વાળાએ ગત તા.૧૪-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે કોઇ કારણોસર ગળા ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
