ભાડેસિયા પરીવારની પુત્રીના લગ્નપ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં એકત્ર થયેલ ધનરાસી સેવા ભારતીમાં અર્પણ.
મોરબીનો ભાડેસિયા પરિવાર સેવાકાર્યો માટે જાણીતો છે, રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલકજી મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી તબીબી ક્ષેત્રે અનેક દર્દીઓની સેવા સુસુશ્રાની સાથે સાથે આર.એસ.એસ.ના માધ્યમથી રાષ્ટ્રસેવા કરી રહ્યા છે ત્યારે ભાડેસિયા પરિવારની પુત્રી પરિણીયના બંધનમાં બંધાવાના હોય આ પવિત્ર પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં ભાડેસિયા પરિવારે ભારતમાતાની તસ્વીર સાથે સમર્પણ કુંભનું સ્થાપન કરવામાં આવ્યું અને સગા વ્હાલા, સ્નેહીજનો દ્વારા દિકરીને આપવામાં આવતા ચાંદલાની રકમ આ સમર્પણ કુંભમાં પધરાવવામાં આવી.અને આ એકત્ર થયેલ ધનરાશી ગુજરાત સેવા ભારતીના સેવાકાર્ય માટે સમર્પિત કરેલ છે,તેમજ હાલ લગ્નપ્રસંગે યોજાતા ભોજન સમારંભમાં ભોજનનો બગાડ ખુબજ થાય છે અને ભોજન સમારંભમાં છાસના ગ્લાસમાં મીઠાઈમાં,પાણીના ગ્લાસ વગેરેમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરીને પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડવામાં આવે છે ત્યારે ભાડેસિયા પરિવાર દ્વારા આયોજિત આ ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો,છાસ અને પાણી કાચના અને સ્ટીલના ગ્લાસમાં પુરા પાડવામાં આવ્યા હતા.આમ ભાડેસિયા પરિવારે લગ્નનના શુભ અવસર સાથે સેવાકાર્યને જોડીને સ્તુત્ય પગલું પુરું પાડ્યું છે.
મોરબીમાં 21 જૂને મણીમંદિર ખાતે મહાપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે
આગામી ૨૧ જૂનના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
સમગ્ર વિશ્વ અને દેશમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં...
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવી પડી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દોલતરામ દેવચંદ વર્મા (ઉ.વ.૪૬) રહે. મધ્યપ્રદેશવાળાને અચાનક ચક્કર આવી પડી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા....