મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કોયો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સંજયભાઇ તેજારામ નાયક (ઉ.વ.૨૬) નામના યુવકે કોયો સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગત તા.૧૪-૦૪-૨૦૨૩ ના રોજ પોતાની જાતે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
