મોરબી: મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે પરીણાતાને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા લાગી આવતા પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના આસલપુર ગામના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરતીબેનને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન આરતીબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રિશ મુકેશભાઈ માલકીયા (ઉ.વ.૧૯) એ પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ...
હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય જેથી પિતાએ જ પોતાના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ...
મોરબી શહેરમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય બની છે. ત્યારે મોરબી નવા ડેલા રોડ પરથી રીક્ષામાં બેસલ એક વૃદ્ધના ખીસ્સામાંથી ઠગ ટોળકીએ રૂપિયા ૧૮૦૦૦ સેરવી લીધા...