મોરબી: મોરબીના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે તેથી આ ગટરનું ઢાંકણું કોઈ અકસ્માત થાય તે પહેલાં ફીટ કરાવમાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ પરથી અવની ચોક્કડી ને જોડતો હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં આવેલ ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે. આ રોડ પરથી આ વોર્ડના કોર્પોરેટર પણ અવાર નવાર પસાર થાય હોય છે.તેમ છતા આ ગટરનું ઢકાણું ફીટ કરવામાં આવી રહ્યું નથી. તો શું? નગરપાલિકા કોઈ અસ્ક્માત થાય તેની રાહ જોઈ રહી છે.? તેથી આ ગટરનું ઢાંકણું તાત્કાલિક નવુ નાખી ફીટ કરવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.
ટ્રાફિક પોલીસ ધૃતરાષ્ટ્ર બની ને કામગીરી કરી રહ્યું હોય તેવો ઘાટ: ટ્રાફિક પોલીસ ને ફક્ત મેમો બનાવી લોકોને ખંખેરવામાં જ રસ ?
મોરબી જિલ્લા પોલીસ વડા ટ્રાફિક સમસ્યા હલ કરવાની વાતો કરી રહ્યા છે પણ કામ ક્યારે ?
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ ઝોનમાં ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણથી રોજબરોજ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો...
મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ ઢોર પકડવા ગયેલ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બે મહિલાઓએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામ રહેતા અને મહાનગરપાલિકામા કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતા વિપુલભાઈ...
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...