મોરબી: મોરબીના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે તેથી આ ગટરનું ઢાંકણું કોઈ અકસ્માત થાય તે પહેલાં ફીટ કરાવમાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ પરથી અવની ચોક્કડી ને જોડતો હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં આવેલ ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે. આ રોડ પરથી આ વોર્ડના કોર્પોરેટર પણ અવાર નવાર પસાર થાય હોય છે.તેમ છતા આ ગટરનું ઢકાણું ફીટ કરવામાં આવી રહ્યું નથી. તો શું? નગરપાલિકા કોઈ અસ્ક્માત થાય તેની રાહ જોઈ રહી છે.? તેથી આ ગટરનું ઢાંકણું તાત્કાલિક નવુ નાખી ફીટ કરવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...