દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરતા મનો દિવ્યાંગ બાળકો
મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા હાલ રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ મોરબી ખાતે હાલ કાર્યરત છે, જેમાં હાલ સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે, આ બાળકો પોતે પગભર થાય પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે,સમાજ આ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપે એવા શુભાષયથી દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભવના,રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.
જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથર્યા હતા આ કાર્યક્રમ નિહાળવા અને દિવ્યાંગ બાળકોને અને એમની સાથે કામ કરતા અને આ બાળકોને જીવનના પાઠ શીખવતા તમામ શિક્ષિકા બહેનો તેમજ ટ્રષ્ટિ મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા,દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવા,શિલ્પાબેન ભટાસણા આઈ.ઈ.ડી.કો. ઓર્ડીનેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબીના સુજ્ઞ નાગરિકો, નગરજનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને નિહાળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યું
મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 17 વર્ષથી અવિરત પગયાત્રા
મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનો સતત 17મો વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ...
માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ ઉપર કચ્છ - પીપળીયા ચાર રસ્તા નજીક વેચાણ કરવાના ઈરાદાથી ઈકો કારમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૭ કિં રૂ. ૭૬,૯૨૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨,૦૧,૯૨૫ નાં મુદામાલ સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક...