મોરબી: મોરબીની દુર્દશા પાછળ મોરબીનુ જ રાજકારણ લખવાં પાછળ ના અનેક પુરાવા સાબિતી આપે છે જેમ કે મોરબીના અનેક વિસ્તારો એમાંય ઘડિયાળ ઉદ્યોગનું હબ એવા લાતી પ્લોટમાં વ્યવસાય કરતા હજારો નાના મોટા ધંધાદારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીના ગંજ તેમજ ઉભરાતી ગટરોને રાત્રી દરમિયાન અંધકારમય યાતનાઓ વેઠી રહ્યા છે. ને એવુ પણ નથી કે તેમને રજુવાત ન કરી હોઈ હજારો વખત રજુવાત કરવા છતાં કોંગ્રેસ કે ભાજપ કે કોઈ તંત્ર ના જવાબદાર અધિકારીના પેટનું પાણી પણ હલ્યું હોઈ તેવો કિસ્સો હજુ સુધી જોવા નથી મળ્યો.
ચૂંટણીઓ તો અનેકવાર આવી અને જતી રહી પણ મોરબીના અનેક વિસ્તારો આજે પણ વિકાસને જંખી રહ્યા છે પણ એકપણ નેતા કે જવાબદાર અધિકારીઓ વિકાસ વગરના બાકી હોઈ તેવું દૂર દૂર સુધી દેખાતું નથી માટે વિકાસ માત્ર નેતાઓ અને ભ્રસ્ટાચારી અધિકારીઓનોજ થયો છે.
ગુજરાતમાં એ ગ્રેડની નગરપાલિકાઓમાં જેમને સ્થાન મળ્યું અને કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોવા છતાં સ્થાનિક રાજકારણનો ભષ્ટ્રાચાર રૂપી અજગર ભરડો લોકોની સુખ સુવિધાને સલામતીને યાતનાઓ તરફ ધકેલી રહ્યો છે.
વિશેષમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જિલ્લા વિકાસના તમામ વિભાગોમાં સંકલનનો અભાવ પણ હાનિકારક સાબિત થઇ રહ્યો છે. હવે વાત રહી બીજા વિસ્તારોની તો ગણવા બેસી તો નાના એવા મોરબી શહેરમાં આંગળીના વેઢા ટૂંકા પડે જેમ કે આસ્વાદ પાન ચોક, જુના બસ સ્ટેન્ડ, એ ડીવીજનની સામેનો વિસ્તાર, વાવડી રોડ, શિક્ષણ અધિકારીની કચેરી સામેનો વિસ્તાર, લાઇન્સનગર, પંચાસર ચોકડીથી કામધેનુ સુધી, પંચાસર રોડ, સુપરમાર્કેટ, કેસરબાગ, મોરબી સિવિલ હોસ્પિટલ વગેરે વગેરે વિસ્તારોમાં કોઈ સ્વછતા તો કોઈ સારા રોડ તો કોઈ સારી ગટરો માટે આજે પણ જજુમી રહ્યા છે અને નેતાઓ અને નગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ જે રીતે મોટા મોટા વચન અને વાયદાઓના આપતાં હોઈ છે તે પણ પોકળ સાબિત થાઈ છે ને હજુ પણ જો મોરબીવાસીઓની સુખાકારીનો અપાવી સકતા હોઈ તો ઈશ્વરનો ડર રાખી સ્વૈચ્છિક રાજીનામુ આપીને મોરબીની ભોળી પ્રજા પર એક ઉપકાર કરવો જોઈ તેવું મારું માનવું છે.
અંતમાં હજુ પણ સમય છે જો આ સ્થિતિને જોતા જો મોરબી નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત તેમજ જવાબદાર અધિકારી જવાબદાર હોદ્દેદારો સામાજિક સંસ્થાઓ પોલીસ વિભાગ અને દરેક મોરબી વાસી જો આ અભિયાનને સકારાત્મક વલણ સાથે અપનાવે તો ચોક્કસ પણે આપણું મોરબી સ્વચ્છ સલામત સુરક્ષિત બની શકે તેમાં શંકાને સ્થાન નથી.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...