મોરબીની એક પ્લાયવુડ ની પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી ટ્રક મારફતે નેપાળ ખાતે રૂપિયા ૫૧ લાખની કિંમતનો માલ મોકલાવ્યો હતો જે લેનાર પાર્ટી સુધી ન પોહચતા બારોબાર સગેવગે થઈ જવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નેશનલ હાઈવે પર આવેલ કજારિયા પલાયવુડ નામની ફેક્ટરીમાંથીદીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરાએ ગત 25 ફેબ્રુઆરીના રોજ યુપી 50 સીટી 870 નંબરના ટ્રકમાં રૂ 51.07 લાખની 5775 ભરી નેપાળના કેશા ચંદા અન્વરલાલ એન્ડ કંપનીમાં ભરીને મોકલ્યા હતા.
જોકે યુપીના આઝમજીગઢ જીલ્લાનો વતની ટ્રક ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગ આ માલ નેપાળ પહોચાડવાના બદલે રૂ 51.07 લાખ નંબરનો 5775 સીટ લઇ ગાયબ થઇ ગયો હતો તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો આ અંગે દીપકભાઈએ નેપાળમાં તેમણી પાર્ટીપાસે તપાસ કરતા લેમિનેટ સીટની ડીલવરી ન મળી હોવાનું સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક દિલીપકુમાર વિરુદ્ધ છેતરપીડી આચર્યાની પોલીસ ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...