મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો જેમાં હાલ સમયમાં ટીવી મોબાઈલ વોટ્સએપ અને ઈન્ટરનેટના યુગમાં માણસ સતત ઓનલાઈન રહેતો હોય પરિવારની પાસે હોય છે પણ સાથે નથી હોતો લોકોની રાત-દિવસ પૈસાની દોડમાં પોતાના પરિવાર અને બાળકોને સમય નથી આપતા ત્યારે માણસ તણાવગ્રસ્ત જીવન જીવે છે એકલવાયું જીવન જીવતો હોવાના કારણે અનેક માનસિક રોગોનો શિકાર બને છે,અનિદ્રા,ચિંતા, ટેન્શન અને ફસ્ટ્રેશન,ઉદાસી, મેનિયા, સ્કીઝો ફેનિયા જેવી સમસ્યાઓના કારણે લોકો આત્મહત્યા તરફ વળે છે વ્યસનનો શિકાર બને છે.
ત્યારે એક વીસમી સદી એક વસમી સદી બની ન જાય એટલે માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળાના વિદ્યાર્થીઓએ માનસિક રોગ કેવી રીતે થાય છે? કેમ થાય છે? એની કેવી કેવી ઘાતક અસરો થાય છે? માનસિક રોગોથી બચવાના ઉપાયો વગેરે વિશે વકતૃત્વ, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું નોખું અનોખું અને વિશિષ્ટ આયોજન કર્યું હતું,બંને શાળાના બાળકોએ ત્રણેય સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિજેતા સ્પર્ધકોને શિલ્ડ પ્રમાણપત્ર સ્ટેશનરીની વ્યવસ્થા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી તરફથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ધનજીભાઈ બાવરવા અને બી.ડી.ગામી દિવ્ય જ્યોતિ મંડળના કાર્યકર્તાઓ તેમજ તુષારભાઈ બોપલીયા આચાર્ય માધાપરવાડી કુમાર શાળા અને દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, સંદીપભાઈ લોરીયા વગેરે શિક્ષકોએ નિર્ણાયક તરીકે તેમજ વ્યવસ્થાપક તરીકે ખુબજ જહેમત ઉઠાવી હતી.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...