મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો જેમાં હાલ સમયમાં ટીવી મોબાઈલ વોટ્સએપ અને ઈન્ટરનેટના યુગમાં માણસ સતત ઓનલાઈન રહેતો હોય પરિવારની પાસે હોય છે પણ સાથે નથી હોતો લોકોની રાત-દિવસ પૈસાની દોડમાં પોતાના પરિવાર અને બાળકોને સમય નથી આપતા ત્યારે માણસ તણાવગ્રસ્ત જીવન જીવે છે એકલવાયું જીવન જીવતો હોવાના કારણે અનેક માનસિક રોગોનો શિકાર બને છે,અનિદ્રા, ચિંતા, ટેન્શન અને ફસ્ટ્રેશન,ઉદાસી, મેનિયા, સ્કીઝો ફેનિયા જેવી સમસ્યાઓના કારણે લોકો આત્મહત્યા તરફ વળે છે વ્યસનનો શિકાર બને છે, ત્યારે એક વીસમી સદી એક વસમી સદી બની ન જાય એટલે માધાપરવાડી શાળાની વિદ્યાર્થીનીઓએ માનસિક રોગ કેવી રીતે થાય છે? કેમ થાય છે? એની કેવી કેવી ઘાતક અસરો થાય છે? માનસિક રોગોથી બચવાના ઉપાયો વગેરે વિશે વકતૃત્વ,નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું નોખું અનોખું અને વિશિષ્ટ આયોજન કર્યું હતું.
બંને શાળાના બાળકોએ ત્રણેય સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, વકતૃત્વ સ્પર્ધામાં ત્રણ નંબર પ્રાપ્ત કરનાર હેન્સી દિલીપભાઈ, કંઝારીયા નેહલ ભાવેશભાઈ, કંઝારીયા સરસ્વતી રમેશભાઈ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર હારા નીતિનભાઈ પરમાર દ્વિતીય નંબર મીરા દિનેશભાઈ પરમાર તૃતીય નંબર હેમાંસી સારલા તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સગુણા શાંતિલાલ પરમાર, દ્વિતીય નંબર ધ્રુવિતા મહેશભાઈ ડાભી તૃતીય નંબર કંઝારીયા સેજલ મકનભાઈ વગેરેને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ભાગ લેનાર તમામ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા. શિલ્ડ પ્રમાણપત્ર સ્ટેશનરીની વ્યવસ્થા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી તરફથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ધનજીભાઈ બાવરવા અને બી.ડી.ગામી દિવ્ય જ્યોતિ મંડળના કાર્યકર્તાઓ તેમજ શાળા ના શિક્ષકો દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, જયેશભાઈ અગ્રાવત વગેરે શિક્ષકોએ નિર્ણાયક તરીકે તેમજ વ્યવસ્થાપક તરીકે ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાના સ્ટાફને ફાયર પ્રિવેન્શનને લગતી ટ્રેઈનીંગ અને ફાયર એક્સટીંગયુશર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ. જેમાં આગ લાગવા કે કોઈ આકસ્મિક આપદા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ ફાયર એક્સટીંગયુશરનો ઉપયોગ કેવી રીતે કરવું તેની જાણકારી...
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...