મોરબી.સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી,વજેપરવાડી, લખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગર, ગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવેલ જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવેલ,સમજાવવામાં આવેલ જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી.
વિદ્યાર્થીઓ 60 સાંઈઠ જેટલા મોડેલ વિદ્યાર્થીઓ બનાવી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે,ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા 60 સાંઈઠ મોડેલ બનાવતા શીખવેલ હતા.
આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવેલ,આ મટીરીયલ માંથી ઉપરોક્ત તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ અવનવી પ્રવૃત્તિઓ કરાવી હતી તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી વિદ્યાર્થીઓએ પણ જૂદી જુદી પ્રવૃત્તિ કરી મોડેલ તૈયાર કર્યા હતા આ મોડેલનું પ્રદશન શાળાઓમાં યોજાયું હતું આ પ્રદર્શનમાં ડો.સીતારામ અને ડૉ.સંધ્યાબેન તેમજ હરેશભાઈ બોપલીયા પ્રમુખ સીરામીક એસોસિએશન તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શન સફળ બનાવવા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવવામાં આવે છે.
મોરબી; રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સુત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ હંમેશા રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કાર્ય કરીને હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન, હમારા વિદ્યાલય, હમારા તીર્થની પરિકલ્પનાને સાર્થક કરી રહ્યા છે,
સાથે સાથે શિક્ષકોના વહીવટી પ્રશ્નો જેવા...
મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના સર્વાગી અને સુવ્યવસ્થિત વિકાસ, બાંધકામોની કાયદેસરતા તેમજ નાગરિકોની સુરક્ષા ને પ્રાધાન્ય આપીને વિવિધ મહત્વપૂર્ણ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. શહેરના આરોગ્ય સંકુલને વધુ સુરક્ષિત તથા નિયમસર બનાવવા હેતુસર મહાનગરપાલિકા વિસ્તારની કુલ ૧૩૧ હોસ્પિટલો ની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અનુરૂપ સુવિધાઓ,...
મોરબી: અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ-મોરબી દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 6 ડિસેમ્બર 2025, શનિવારે સાંજના 6:30 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમની શરૂઆત નહેરુ ગેટ ચોક પરથી થશે, જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મોન કેન્ડલ માર્ચ...