મોરબી: મોરબીના સામા કાંઠે માળીયા વનાળિયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પરબતભાઇ બચુભાઇ બારોટ ઉ.વ.૪૩ રહે. માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળા કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
