દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટીયાપા શેરીમાં આવેલ અંબિકા આશ્રમ ખાતેથી રામનવમી નિમિતે માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
બે વર્ષથી કોરોના મહામારીને પગલે માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી જોકે હવે કોરોના ખતરો ટળી જતા રામનવમી નિમિતે માં અંબેની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અંબિકા આશ્રમ મંદિર ખાતેથી જય અંબેના નાદ સાથે ભવ્ય રથયાત્રા શરુ કરવામાં આવી હતી જે રથયાત્રા શહેરના દરબારગઢ, ગ્રીન ચોક, નહેરુ ગેઇટ ચોક અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
રથયાત્રામાં વિસ્તારના રહીશો અને માં અંબેના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે બહેનો અને યુવાનોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને જય અંબેના નાદ સાથે રથયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકોએ માતાજીના રથના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
જે રથયાત્રાને સફળ બનાવવા અંબિકા આશ્રમ મંદિરના કાર્યકર્તા દુલાભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દવે, ભરતભાઈ ભટ્ટ, હર્ષદભાઈ સોની, દિનેશભાઈ સોની, ગીરીશભાઈ સોની તેમજ ગૌરવ પાટડીયા, સમીર પાટડીયા અને નિકુંજભાઈ પટ્ટણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...