દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટીયાપા શેરીમાં આવેલ અંબિકા આશ્રમ ખાતેથી રામનવમી નિમિતે માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
બે વર્ષથી કોરોના મહામારીને પગલે માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી જોકે હવે કોરોના ખતરો ટળી જતા રામનવમી નિમિતે માં અંબેની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અંબિકા આશ્રમ મંદિર ખાતેથી જય અંબેના નાદ સાથે ભવ્ય રથયાત્રા શરુ કરવામાં આવી હતી જે રથયાત્રા શહેરના દરબારગઢ, ગ્રીન ચોક, નહેરુ ગેઇટ ચોક અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
રથયાત્રામાં વિસ્તારના રહીશો અને માં અંબેના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે બહેનો અને યુવાનોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને જય અંબેના નાદ સાથે રથયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકોએ માતાજીના રથના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
જે રથયાત્રાને સફળ બનાવવા અંબિકા આશ્રમ મંદિરના કાર્યકર્તા દુલાભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દવે, ભરતભાઈ ભટ્ટ, હર્ષદભાઈ સોની, દિનેશભાઈ સોની, ગીરીશભાઈ સોની તેમજ ગૌરવ પાટડીયા, સમીર પાટડીયા અને નિકુંજભાઈ પટ્ટણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...