મોરબી: મોરબીમાં જીલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવ દ્વારા લોક અદાલત અને ટ્રાફિક સહિતના નિયમો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુથી બે દિવસીય જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટીવના કો-ઓર્ડીનેટર એડવોકેટ મિત રવેશિયા સહિતના દ્વારા તા. 10 અને 11 નવેમ્બર એમ બે દિવસ લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણ જેવા કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તેમજ ટંકારાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીનાં વિવિધ જાહેર સ્થળો પર સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તેવા આશયથી લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણનાં કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ અભિયાનમાં ટેક્ષેસન પ્રેક્ટિસનર વૃતિકભાઈ બારા પણ જોડાયા હતા. આ ઉપરાંત આવતીકાલે તા. 12 નવેમ્બરના રોજ લોક અદાલત પણ યોજવામાં આવશે્.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...