મોરબી: મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું તા. ૨૩ માર્ચ ને ગુરૂવાર ના રોજ દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે ૬ :૦૦ થી ૭ ૦૦ દરિયાલાલ પ્રભુની આરતી, સવારે ૮ : ૩૦ થી ૯ : ૦૦ શરામાયણ પ્રવચન, સવારે ૭ : ૩૦ થી ૮ : ૦૦ દરિયાલાલ પ્રભુનું પૂજન, સવારે ૯ : ૩૦ થી ૩ : ૦૦ વરૂણ યજ્ઞ તથા શ્રીફળ હોમવામાં આવશે. વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અ.સૌ. પાયલબેન તથા સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા અ.સૌ. માધવીબેન તથા આકાશભાઇ હિમતભાઇ પુજારા બેસશે. તેમજ દરિયાલાલ પ્રભુનો પ્રસાદ – સમૂહ ભોજન સાંજે ૬ : ૦૦ થી ૮ : ૦૦ બહેનો તથા રાત્રે ૮ : ૦૦ થી રાત્રે ૧૦ : ૦૦ ભાઈઓ માટે દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ ખાતે યોજાશે. આ શુભ પ્રસંગે ટ્રસ્ટીઓ ફાળો લેવા માટે નીકળવાના ન હોય, પરંતુ દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડીમાં ફાળો આપી શકાશે. તેમ પ્રમુખ ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા, ટ્રસ્ટી કમલેશ કીરચંદભાઇ કકકડ, નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક, જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત અને ચંદ્રેશ હીરાલાલ કોટકની યાદીમાં જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૫" અંતર્ગત મોરબી તાલુકાના કેશવનગર ખાતે કેશવનગર પ્રાથમિક શાળા તથા ચકમપર પ્રાથમિક શાળા તથા જીવાપર(ચ) પ્રાથમિક શાળા માં ભૂલકાંઓને હર્ષોલ્લાસભેર આવકાર્યા.
ગ્રામ્યસ્તરના શિક્ષણથી ખરા અર્થમાં પાયાની કેળવણી મજબૂત બને છે. આ જગ્યાએ કુદરતના સાનિધ્યમાં ગુરુજનો અને શિક્ષક સાથે મળી અને વિદ્યાર્થીઓમાં કેળવણી અને...
મોરબીની માધાપરવાડી શાળાના વર્ષ દરમ્યાન 100% હાજરી ધરાવનાર તેમજ વાર્ષિક પરિક્ષા જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ અને NMMS વગેરે પરીક્ષામાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને દાતાઓને સન્માનિત કરાયા.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો, બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ, વર્ષ 2002/03 થી શરૂ થયેલ આ પરંપરાનો આ વર્ષે...