મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવાય યાર્ડના વાઈસ ચેરમેન અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો
મોરબી સહીત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા શિયાળુ પાક એવા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોં અને તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના 5 તાલુકામાં 19,600 ખેડૂતોની નોધણી થઇ હતી.અને જીલ્લામાં સોમવારથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે મોરબી માળિયાના ખેડૂતોને ખરીદી માટે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા છે
અહી સાંસદ મોહનભાઈ કુંડારિયા એપીએમસી વાઈઝ ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ ગુજકોમાર્સલના પ્રતિનિધિ કાનજીભાઈ ભાગિયાની હાજરીમાં ખરીદી શરૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ખેડૂતમાટે અલગ અલગ સ્થળે ખરીદ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી-માળિયાના ખેડૂતોમાટે ખરીદ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે આ સિવાય ટંકારા અને વાંકાનેરના ખેડૂતો માટે અજંતા જીનીંગ મિલ તેમજ હળવદ તાલુકાના ખેડૂતો માટે હળવદ યાર્ડ ખાતે ખરીદ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...