મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો
મોરબી: ગઈ કાલે રવિવારના રોજ મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબીમાં સામેકાંઠા વિસ્તારમા અરુણોદય ચોકમાં ભવ્ય ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લગભગ ૧૩૫ સનાતની હિંદુ ભાઈઓએ ત્રિશુલદીક્ષા ધારણ કરી હિંદુત્વના રક્ષણના શપથ લિધા હતા.
ગત તા. -૧૨/૦૩/૨૦૨૩ને રવિવારના રોજ મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબીમાં સામેકાંઠા વિસ્તારમા અરુણોદય ચોકમાં ભવ્ય ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ ૧૩૫ સનાતની હિંદુ ભાઈઓએ ત્રિશુલદીક્ષા ધારણ કરી હિંદુત્વના રક્ષણના શપથ લિધા હતા. આ કાર્યક્રમને શોભાવવા માટે અધિકારી લલિતભાઈ ભાલોડીયા મોરબી જિલ્લા સંઘ ચાલકજી, વિપુલભાઈ અગ્રાવત બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંયોજક, કમલભાઈ દવે બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સંયોજક, રમેશભાઈ પંડ્યા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસ્તા પ્રમુખ, હસુભાઈ ગઢવી ધર્માચાર્ય પ્રમુખ સુરેન્દ્રનગર વિભાગ, ભાવિકભાઈ ભટ્ટ વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા મંત્રી, પુષ્પરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી માળીયા ગ્રામ્ય અઘ્યક્ષ તથા રણછોડજી ભગત ધર્મ જાગરણ વિભાગ તથા સીતારામ બાપુ રોકડિયા હનુમાનજી મંદિર વિશિપરામાંથી ઉપસ્થિત રહ્યા હતા.