મોરબી: મોરબીમાં આગામી 31,ઓકટોબરના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા તા.25-10-22 થી તા.31-10-22 સુધી વિવિધ કાર્યક્રમો આપેલ છે. જેમાં પ્રથમ દિવસે એકતા માનવ સાંકળ રચવાનો કાર્યક્રમ હોય નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા ફરતે દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની આગેવાની હેઠળ પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ ગાંભવા, અશ્વિનભાઈ વગેરે શિક્ષકો, તલાટીઓ, અન્ય કર્મચારીઓ અને નગરજનોએ એકમેકના હાથ પકડી એકતા માનવ સાંકળ રચી એકતાના દર્શન કરાવ્યા હતા.
મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 17 વર્ષથી અવિરત પગયાત્રા
મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનો સતત 17મો વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ...
માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ ઉપર કચ્છ - પીપળીયા ચાર રસ્તા નજીક વેચાણ કરવાના ઈરાદાથી ઈકો કારમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૭ કિં રૂ. ૭૬,૯૨૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨,૦૧,૯૨૫ નાં મુદામાલ સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક...