મોરબી: રકતદાન એટલે કોઈના જીવન બાગને ખીલવતી વર્ષાૠતુ ત્યારે મોરબીમાં સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા શુક્રવારે દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અર્જુન જયેશભાઈ મિસ્ત્રી Mo : 9825755555ના સૌજન્યથી મોરબીમાં આગામી તારીખ 03-03-2023ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સાયન્ટીફીકની વાડી, વજેપર, આલાપ રોડ ખાતે સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે 45.5°C તાપમાન સાથે ડીસા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.7°C જેટલો મોટો વધારો નોંધાયો...