મોરબી: મોરબીની ડિ.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં આગામી તા.૧૧ અને ૧૨ ના રોજ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના ડો. વિક્રમ સંઘવી સેવા આપશે.
મોરબીના નવા ડેલા રોડ ખાતે આવેલી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં રૂપાબેન જગદીશભાઇ જવેરી તેમના સુપુત્રી નેહલબેન વિદીતભાઈ શાહના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૧ને શનિવારના રોજ સાંજે ૪થી ૭ અને તા. ૧૨ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે.
આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમ સંઘવી હાજરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરી પાસે અગાઉથી નોંધાવી જવા તેમજ તપાસ વખતે કેશ પેપર્સ સાથે રાખવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વી. શાહની યાદીમાં જણાવાયું છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...