Saturday, May 23, 2026

મોરબીમાં 6 માર્ચે ‘આયુર્વેદ કથા’ નું આયોજન 

મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે.

મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના રોજ બપોરે ૧.૩૦ થી ૫.૦૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા (મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે. મોરબીના આંગણે આ સૌ પ્રથમ કથા છે. તેમજ આ આયુર્વેદ કથામાં વધુમાં વધુ બહેનો આવે તો જ આપણો હેતુ બર આવશે. તેથી આગામી તા.૦૬-૦૩-૨૦૨૩ નાં રોજ ૧.૩૦ વાગે આ કથામાં તમામ લોકોને સહકુટુંબ હાજર રહેવા ભારપૂર્વક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img