ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિક ના નિયમો ના પાલન અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ.
મોરબી શહેર ની મધ્ય મા આવેલ વિવિધ વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ માં ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર, ગોહીલ સહીત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ મેળવવા ઉપરાંત ટ્રાફિક ના નિયમો નુ ચુસ્તપણે પાલન કરવા અંગે શપથ લેવડાવવા માં આવ્યા હતા. તે ઉપરાંત અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ તેમજ G20 અંતર્ગત ભારત ને મળેલ અધ્યક્ષ પદ વિશે પણ માહિતી પ્રદાન કરવા માં આવી હતી. આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિતભાઈ કક્કડ, ભગીરથસિંહ ઝાલા સહીત ના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...