ધજા જોતા ધન સાંપડે દેવળ જોતા દુઃખ જાય
એવા વંદુ રાજલ માત ને તુને દંડવત લાગું પાય!
મોરબી થી વીસ કિલોમીટર દુર આવેલા ચરાડવા ગામમાં બિરાજમાન રાજ રાજેશ્વરી રાજબાઈ માતાજીનો ફાગણ સુદ બીજ પ્રાગટ્ય દિન છે ત્યારે હજારો ભાવિકો ચરાડવામાં માં રાજબાઈ નું પ્રાગટ્ય દિન ઉજવવા આવે છે અને આ પરંપરા મુજબ આ વર્ષે તારીખ ૨૧-૨-૨૦૨૩ ને મંગળવારે ફાગણ સુદ બીજના દિવસે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગલા દિવસે તારીખ ૨૦-૨ નાં બપોરે ૩-૩૦ વાગ્યે રાજબાઈ માતાજીના મંદિરેથી શોભાયાત્રા યોજાશે જે આખા ચરાડવા ગામમાં ફરશે અને રાત્રે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. તારીખ ૨૧-૨ નાં રોજ માતાજીના મંદિરમાં ધ્વજારોહણ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞના આયોજક અને યજમાન પરસોત્તમભાઈ જીવરાજભાઈ સેંધાણી (પટેલ) ઘાટકોપર મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે. પૂજારી મનસુખભારતી બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ ચરાડવા ગામે આવવા માટે ભાવિકો પદયાત્રા યોજીને પહોંચે છે તે મુજબ આ વર્ષે પણ કચ્છના કટારીયા ગામેથી અને સુરેન્દ્રનગર થી પદયાત્રાનું આયોજન થયું છે.
મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા વ્યાસ સમાજવાડી ખાતે ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ. જે સ્પર્ધા ધોરણ ૦૪ થી ૦૮, ધોરણ ૦૯ થી ૧૨ અને ઓપન એમ ૦૩ વિભાગમાં યોજાઇ. તમામ સ્પર્ધકો એ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો અને કાર્યક્રમ સફળ બનાવ્યો.
ત્યારબાદ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો. જેમાં દરેક સ્પર્ધકોને...
મોરબી જિલ્લાના વતની ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા. તેઓ ચાલુ ફરજ દરમ્યાન તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ. દેશસેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ મનસુખભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ દુઃખદ અવસરે શહીદના પરિવારજનોને આર્થિક...
પ્રથમ વખત વાલીઓ માટે રમતોત્સવનું આયોજન શનિવારના રોજ આનંદદાયી શનિવાર તરીકે શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે, ચાંદલા ચોડ, ફુગ્ગા ફોડ, વિઘ્ન દોડ, બેલેન્સ ગેમ, સસલા દોડ, કોથળા કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવેલ તેમજ બાળકોના...