મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવારથી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીતની વિવિધ જાતની ચીકી રૂ.૬૦ તથા રૂ. ૭૦ના ભાવે તેમજ મમરાના લાડુંનુ રાહતદરે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.