હંસરાજ ભાઈ કૈલા, મહેશભાઈ ઠાકર, મગનભાઈ રાઠોડ, રમેશભાઈ સાદરીયા, નિમેષભાઈ અંતાણી, દીલીપભાઈ સાદરીયા, ભરતભાઈ પંડ્યા, અશોકભાઈ મહેતા સહીત ના અગ્રણીઓ દ્વારા સેવા કાર્ય મા સહયોગ
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સેવાકાર્ય મા સહયોગ આપવા મા આવ્યો હતો.
મોહનથાળ,ગાંઠીયા,રોટલી,દાળ,ભાત,શાક, છાશ સહીત ની વાનગીઓ ઉપસ્થિત અગ્રણીઓ એ પોતાના વરદ્ હસ્તે પિરસી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. આ તકે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ ના હંસરાજભાઈ કૈલા,મહેશભાઈ ઠાકર,મગનભાઈ રાઠોડ,રમેશભાઈ સાદરીયા,નિમેષભાઈ અંતાણી,અશોકભાઈ મહેતા,ભરતભાઈ પંડ્યા,દીલીપભાઈ સાદરીયા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા ના સેવાયજ્ઞ મા મળેલ સહયોગ બદલ મોરબી જલારામ મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી સહીત ના અગ્રણીઓએ આભાર ની લાગણી સહ અભિનંદન પાઠવ્યા હતા.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...